logo
  • Customer Help
  • Checkout
logo
Subscription
  • Home
  • Store
    • Children Story Books
      • English Books
      • Hindi Books
      • Gujarati Books
    • Tirthankar Charitra books
    • Pathshala Books
      • English Books
      • Gujarati Books
    • Jainism Books
      • English Books
      • Gujarati Books
    • Games
      • Housie Game
      • Puzzle
  • Magazine
  • Gurudev
    • Pujya Premsuri MS
    • Pujya Bhuvanbhanu Suri MS
    • Pujya Gachchhadhipati Gurudev Shri Jayghosh Suri Ms
  • Pearls of Jainism
    • Samadhan Yatra
    • One Liner
  • Know Jainism
  • Library
    • Books
    • Bhuvanbhanu Encyclopedia
  • Media
    • Audio
    • Video
  • Contact Us

Home > Know Jainism > Shri Aaryarakshit Suri

Jainonline.org

• 9-Jun-2025


Shri Aaryarakshit Suri

2456


Your browser does not support the audio element.

આર્ય રક્ષિતસૂરિ 

દશપુર નામના નગરમાં સોમદેવ નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તેને સોમા નામની પત્ની હતી. તે બન્ને જૈનધર્મી હતાં. તેમને આર્યરક્ષિત અને ફાલ્ગુરક્ષિત નામે બે પુત્રો હતા. તેમાં મોટો પુત્ર પાટલીપુત્ર જઈ સાંગોપાંગ વેદાદિ શાસ્ત્રોનો અભ્યાસ કરીને પોતાના નગરમાં પાછો આવ્યો. તે વખતે રાજાએ મોટા ઉત્સવપૂર્વક તેને હાથી પર બેસાડી નગરપ્રવેશ કરાવ્યો. નગરના લોકો તેનું આગમન જોવા મોટી સંખ્યામાં આવ્યા. આર્યરક્ષિત ચારે બાજુ નજર ફેરવતો કંઈક શોધતો હતો. તેની નજરમાં ક્યાંય પોતાની મા ન દેખાઈ. તેને થયું, મારા સન્માનાર્થે આખું ગામ આવ્યું છે પણ મારી મા કેમ નથી આવી ? આથી ઉતાવળો ઉતાવળો બધું છોડી તે પોતાના ઘરે આવ્યો. 

મા સામાયિકમાં બેઠી હતી. સામાયિક પારી માએ આર્યરક્ષિતને પૂછ્યું, ‘મજામાં છે ને ?' આર્યરક્ષિતને આ આવકાર ઠંડો લાગ્યો. તેણે પૂછ્યું, 'મા ! કેમ નારાજ છે ? આખું ગામ મારા આગમનથી પ્રસન્ન છે અને તું કેમ પ્રસન્ન નથી ? મારી વિદ્યાથી તને આનંદ નથી થતો ?' માએ કહ્યું, ‘બેટા ! તું ચૌદ વિદ્યાનું જ્ઞાન ભણીને આવ્યો છે પણ તેં આત્મવિદ્યા પ્રાપ્ત નથી કરી, જો તું આત્મવિદ્યા અને દ્રષ્ટિવાદનું જ્ઞાન શીખીને આવે તો મને અવશ્ય આનંદ થાય. મા ! તે મને કોણ શીખવે ? હું જરૂર ત્યાં જઈ શીખી આવીશ.' માતાએ કહ્યું, 'તારા મામા તોસલિપુત્ર આચાર્ય તે તને શીખવી શકે.' 

માતાનું વચન અંગીકાર કરી પ્રાતઃકાળે માતાની રજા લઈ આર્યરક્ષિત મામા પાસે ભણવા ચાલ્યો ગયો. આર્યરક્ષિત પોતે ગુરુને વંદનાદિક કરવાની વિધિથી અજ્ઞાન હતો તેથી તે દ્રઢરથ નામના શ્રાવકને સાથે લઈને ગુરુ પાસે ગયો અને શ્રાવકની વિધિ પ્રમાણે ગુરુને વાંદીને બેઠો. પછી તે દ્રઢરથે ગુરુને આર્યરક્ષિતની જાતિ, કુળ વગેરે કહીને વિશેષમાં એટલું કહ્યું કે, 'આ ચૌદ વિદ્યામાં પારગામી થયો છે અને તેને ગઈ કાલે રાજાએ હાથી પર બેસાડીને પુરપ્રવેશ કરાવ્યો છે.'

પછી આર્યરક્ષિતે ગુરુને કહ્યું કે, 'હે ગુરુ ! હું દ્રષ્ટિવાદ ભણવા માટે આપ પૂજ્યના આશ્રયે આવ્યો છું. તે ભણાવીને આપ મારા પર કૃપા કરો.' તે સાંભળી ગુરુએ કહ્યું કે, 'જો દ્રષ્ટિવાદ શીખવું હોય તો તું દીક્ષા ગ્રહણ કર, જેથી અનુક્રમે તને દ્રષ્ટિવાદનો અભ્યાસ કરાવી શકાય.' 

તે સાંભળીને આર્યરક્ષિતે ગુરુ પાસે દીક્ષા લીધી. પછી તેણે ગુરુને કહ્યું કે, 'મારા અહીં રહેવાથી રાજા, સ્વજનો તથા ગામના લોકો રાગને લીધે બળાત્કારે મને ચારિત્ર્યથી ભ્રષ્ટ કરી લઈ જશે.' તે સાંભળીને ગુરુ પોતાના ગચ્છ સહિત આર્યરક્ષિતને લઈને અન્ય સ્થાને ગયા. તોસલિપુત્ર ગુરુને જેટલું જ્ઞાન હતું તે સર્વ આર્યરક્ષિતે ગ્રહણ કર્યું. પછી ગુરુની આજ્ઞાથી, વધારે ભણવા માટે તે શ્રી વજ્રસ્વામી પાસે જવા નીકળ્યા.

માર્ગમાં કોઈ ગામમાં શ્રીભદ્રગુપ્ત નામના સૂરિ હતા. તેમની પાસે જઈ આર્યરક્ષિતે વંદના કરી. સૂરિજી આર્યરક્ષિતને સર્વગુણયુકત જોઈને તેને હર્ષથી આલિંગન આપીને બોલ્યા કે 'હે વત્સ ! મારું જીવન અલ્પ રહ્યું છે. તેથી હું અનશન કરવા ઇચ્છું છું.' માટે તું મારી પાટે બેસ એવી હું યાચના કરું છું.' આર્યરક્ષિતે તેમનું વચન માન્ય રાખ્યું. પછી શ્રીભદ્રગુપ્તસૂરિએ અનશન લઈને આર્યરક્ષિતને કહ્યું : 'હે વત્સ ! તું વજ્રસ્વામીની સાથે એક જ ઉપાશ્રયમાં રહીશ નહીં, પણ ભિન્ન સ્થળે રહીને તેમની પાસે શ્રુતનો અભ્યાસ કરજે; કેમ કે જે સો ઘણા આયુષ્યવાળો જીવ વજ્રસ્વામીની સાથે એક રાત્રિ પણ રહે તે વજસ્વામી સાથે મૃત્યુ પામે એમ છે.' આ પ્રમાણેનું તેમનું વચન અંગીકાર કરી, તેમના મૃત્યુ પામ્યા બાદ આર્યરક્ષિતમુનિ વજ્રસ્વામીએ અલંકૃત કરેલી નગરીમાં આવ્યા. પ્રથમ રાત્રિ ગામની બહાર રહ્યા. તે રાત્રિએ પાછલા પહોરે વજ્રસ્વામીને સ્વપ્ન આવ્યું કે તેમના પાત્રમાં રહેલું સર્વ દૂધ કોઈ અતિથિ પી ગયો.'

પ્રાતઃકાળે આર્યરક્ષિત મુનિ વજ્રસ્વામી પાસે આવ્યા. તેમને વિધિપૂર્વક વંદના કરીને તેમની પાસે બેઠા અને કહ્યું, “હું તોસલિપુત્રનો શિષ્ય આપની પાસે અભ્યાસ માટે આવ્યો છું. મારું નામ આર્યરક્ષિત છે. રસ્તામાં આવતાં શ્રીભદ્રગુપ્તસૂરિના કહેવાથી હું ભિન્ન ઉપાશ્રયમાં રહીશ.' આ સાંભળીને વજ્રસ્વામીએ ઉપયોગ મૂકી નિમિત્ત જાણીને બોલ્યા કે “જ્ઞાનના સાગર સમાન તે પૂજ્ય સૂરિજીએ તને યુક્ત જ કહ્યું છે.' પછી વજ્રસ્વામીએ તેને પૂર્વની વાચના આપવા માંડી અને આર્યરક્ષિતે ગ્રહણ કરવા માંડી. અનુક્રમે નવ પૂર્વનો અભ્યાસ કરી લીધો. પછી દશમું પૂર્વ ભણવાને પ્રવર્તેલ આર્યરક્ષિત મુનિને ગુરુએ કહ્યું કે 'હવે દશમા પૂર્વને જલદી ભણ' એટલે આર્યરક્ષિત તે કઠિન પૂર્વને શીઘ્ર ભણવા લાગ્યા. 

પેલી બાજુએ, દશપુરમાં આર્યરક્ષીતનાં માતાપિતા પુત્રના વિયોગથી પીડા પામતાં નાના પુત્ર ફાલ્ગુરક્ષિતને આર્યરક્ષિતને બોલાવવા મોકલ્યો. તે નાનો ભાઈ મોટા ભાઈ પાસે આવીને બોલ્યો કે 'હે ભાઈ! તમે આપણા કુટુંબને પ્રતિબોધ આપવા મારી સાથે ઘેર ચાલો અને મને પણ દીક્ષા આપો.' આર્યરક્ષિતે નાના ભાઈને દીક્ષા આપીને ગુરુને વિનંતી કરી કે 'હે ગુરુદેવ! આપની આજ્ઞા હોય તો હું મારાં સંસારી માબાપને પ્રતિબોધ કરવા માટે મારે ગામ જાઉં.’ ગુરુ બોલ્યા કે 'હે વત્સ ! તું અભ્યાસ કર, ઘેર ન જા.' દશમા પૂર્વના અઘરા પાઠો ભણતાં આર્યરક્ષિત ઠીકઠીક થાક્યા હતા. તેમણે ગુરુજીને પૂછ્યું, ‘મેં દશમા પૂર્વમાં કેટલો અભ્યાસ કર્યો અને હવે કેટલું બાકી છે?” ગુરુએ હસીને કહ્યું કે 'હે વત્સ! દશમા પૂર્વનું એક બિંદુમાત્ર તેં ગ્રહણ કર્યું છે અને સમુદ્ર જેટલું બાકી પરંતુ તું ખેદ કેમ કરે છે? તું ઉદ્યમી છે, વળી બુદ્ધિશાળી છે, તેથી જલ્દી દશમું પૂર્વ પણ તું શીખી લઈશ.” 

આ પ્રમાણે ગુરુએ વધુ અભ્યાસ કરવા માટે તેને ઉત્સાહિત કર્યો, તોપણ તે નાના ભાઈ સાથે ગુરુ પાસે જઈ વારંવાર કહેવા લાગ્યો કે 'આ મારો ભાઈ મને બોલાવવા આવ્યો છે માટે મને ત્યાં જવાની આજ્ઞા આપો.' ત્યારે ગુરુએ શ્રુતનો ઉપયોગ કરીને જાણ્યું કે 'આ આર્યરક્ષિત અહીંથી ગયા પછી શીઘ્ર પાછો નહીં આવે અને મારું આયુષ્ય બહુ થોડું રહ્યું છે; તેથી દશમું પૂર્વ મારામાં જ રહેશે, કોઈ ગ્રહણ કરશે નહીં.' આ ભાવિ ભાવ જાણીને શ્રી વજ્રસ્વામીએ આર્યરક્ષિતને જવાની રજા આપી. 

રજા મળવાથી આર્યરક્ષિત પોતાના નાના ભાઈ સાથે દશપુર નગરે આવ્યા. ત્યાં ધર્મદેશના આપીને પોતાના સમગ્ર કુટુંબને પ્રતિબોધ પમાડ્યો અને ત્યાંનો રાજા પણ સમકિત પામ્યો. એકદા શ્રી સૌધર્મેન્દ્ર ઇન્દ્ર મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા શ્રી સીમંધર જિનેશ્વરને વંદના કરવા ગયા. ત્યાં પ્રભુના મુખેથી નિગોદનું સ્વરૂપ સાંભળીને ઇન્દ્રે પ્રભુને પૂછ્યું કે 'હે સ્વામી ! ભરત ક્ષેત્રમાં આવું સૂક્ષ્મ નિગોદનું' સ્વરૂપ કહેનાર કોઈ છે?' પ્રભુએ કહ્યું કે, 'આર્યરક્ષિત છે.' આ સાંભળીને ઈન્દ્ર ભરત ક્ષેત્રમાં આવ્યા. ત્યાં આર્યરક્ષિતસૂરિને વંદના કરીને તેમણે સૂક્ષ્મ નિગોદનું' સ્વરૂપ પૂછ્યું. સૂરિજીએ સૂક્ષ્મ નિગોદનું સ્વરૂપ જેવું છે તેવું કહી બતાવ્યું. તે સાંભળી સૂરિજીની પ્રશંસા કરીને તુષ્ટ થયેલો ઇન્દ્ર સ્વસ્થાને ગયો. 

એ પછી આર્યરક્ષિત સ્વામીએ કેટલીક ધાર્મીક વિધિઓ ત્યાંના રહેવાસીઓને શીખવી અને પોતે આયુષ્ય પૂર્ણ થતાં અનશન કરીને સ્વર્ગે ગયા. જ્ઞાની હોવા છતાં શ્રી આર્યરક્ષિત માતાનાં વચનોને માન આપી દ્રષ્ટિવાદનું જ્ઞાન મેળવવા ઘર છોડી ગુરુ પાસે ગયા. આ રીતે માતાનું મહત્ત્વ સ્વીકારી સારો દાખલો બેસાડયો.

શ્રી આર્યરક્ષિત સૂરિ  સ્ટોરી MCQ QUIZ માટે નીચેની લિંક પર  ક્લિક કરો. ⬇️

https://docs.google.com/forms/d/e/1FAIpQLSdqqHy2kbWG6RlsEATHdH4PWkOl1at8e54lpnQzpj-1JG4VfQ/viewform?usp=header

 

બાળકોને મઝા પડી જાય તેવી....જિનશાસનના મહાપુરુષોની લેટેસ્ટ એનિમેટેડ કલરફુલ પિક્ચર સહિતની સ્ટોરીબુક આપ નીચેની લિંક પરથી ખરીદી શકશો...⬇️

http://jainonline.org/buyonline?subcategory=Children%20Story%20Books&languages=Gujarati

Tags: Summer quiz, Children story, vacation special, jain mahapurush, vajraswami,Aarya rakshit suri katha, Jain sadhu story, jain katha

Recent Posts

  • Unlocking the power of jain sanskar with siddhant ...
  • Dive into the world of jainism with siddhant divak...
  • Timeless Teachings of Jainism - SIDDHANT DIVAKAR -...
  • Explore the world of jain sanskar with exciting st...
  • કરુણા અને સદ્ગુણો(મૂલ્યો)ની કેળવણી(જતન): બાળકો માટ...
  • Unveiling the mysteries of jainism: a journey for ...
  • Nurturing young minds with siddhant divakar – jain...
  • Unveiling the mysteries of jainism: sutra secret!...
  • Embark on an Enthralling Journey with Siddhant Div...
  • Nurturing compassion and values:...
  • Religious Pictorial children story books on Great ...
  • જિનાલયે જવામાં કેટલું ફળ ?...
  • પચ્ચક્ખાણ કરવાથી પ્રાપ્ત થતું મહાન ફળ...
  • નવકારશી પચ્ચક્ખાણની સરળ સમજ ...
  • પચ્ચક્ખાણ એટલે શું?...
  • પચ્ચક્ખાણમાં અન્નત્થણાભોગેણં નો શું અર્થ થાય? ...
  • પચ્ચક્ખાણમાં સહસાગારેણં નો અર્થ શું થાય ? ...
  • 1. શ્રી નવસારી પાર્શ્વનાથ ...
  • 2. શ્રી ઉમરવાડી પાર્શ્વનાથ...
  • 3. શ્રી સહસ્રફણા પાર્શ્વનાથ...
  • 4. શ્રી દુ:ખભંજન પાર્શ્વનાથ...
  • 5. શ્રી સૂરજમંડન પાર્શ્વનાથ...
  • 6. શ્રી વિઘ્નહરા પાર્શ્વનાથ...
  • 7. શ્રી કલ્હારા પાર્શ્વનાથ...
  • 8. શ્રી અમીઝરા પાર્શ્વનાથ...
  • 9. શ્રી પ્રગટ પ્રભાવી પાર્શ્વનાથ...
  • 10 . શ્રી લોઢણ પાર્શ્વનાથ...
  • 11 . શ્રી વિમલ પાર્શ્વનાથ...
  • શ્રી વજ્રસ્વામી...
  • 12 . શ્રી સ્તંભન પાર્શ્વનાથ ...
  • 13. શ્રી કંસારી પાર્શ્વનાથ...
  • 14. શ્રી રત્ન ચિંતામણિ પાર્શ્વનાથ...
  • Shri mantungsuriji...
  • 15 . શ્રી સોમ ચિંતામણિ પાર્શ્વનાથ...
  • 16 .શ્રી ભુવન પાર્શ્વનાથ...
  • 17 . શ્રી ભીડભંજન પાર્શ્વનાથ...
  • Shri Hirvijaysuri...
  • 18 . શ્રી શામળા પાર્શ્વનાથ...
  • 19. શ્રી મુલેવા પાર્શ્વનાથ...
  • 20 .શ્રી હ્રી◌ઁકાર પાર્શ્વનાથ...
  • 21. શ્રી સુખસાગર પાર્શ્વનાથ...
  • Shri Bhadrabahuswami...
  • 21. શ્રી સુખસાગર પાર્શ્વનાથ...
  • 22. શ્રી પદ્માવતી પાર્શ્વનાથ...
  • 23. શ્રી મુહરિ પાર્શ્વનાથ...
  • 24. શ્રી પોસીના પાર્શ્વનાથ...
  • Shri Shayyambhav suri ...
  • 25 . શ્રી વિઘ્નાપહાર પાર્શ્વનાથ...
  • 26 . શ્રી સ્ફુલિંગ પાર્શ્વનાથ...
  • 27 . શ્રી નાગફણા પાર્શ્વનાથ...
  • 28 . શ્રી કલ્યાણ પાર્શ્વનાથ...
  • 29 . શ્રી મનોરંજન પાર્શ્વનાથ...
  • 30 . શ્રી સુલતાન પાર્શ્વનાથ...
  • Shree Mastush Muni...
  • 31 . શ્રી ડોસલા પાર્શ્વનાથ...
  • Shri Sinh Anagar...
  • 32. શ્રી પલ્લવિયા પાર્શ્વનાથ...
  • 33. શ્રી ભિલડિયા પાર્શ્વનાથ...
  • 34 . શ્રી આનંદા પાર્શ્વનાથ...
  • 35 . શ્રી ચારૂપ પાર્શ્વનાથ...
  • 36 . શ્રી પંચાસરા પાર્શ્વનાથ...
  • 37. શ્રી કોકા પાર્શ્વનાથ...
  • 38 . શ્રી કંકણ પાર્શ્વનાથ...
  • 39 . શ્રી મહાદેવા પાર્શ્વનાથ...
  • 40 . શ્રી કંબોઈયા (ઘીયા) પાર્શ્વનાથ...


Related Books

Divakar
  • Kids Magazine

Buy Now
PARMATMA PARSHVANATHA PART 1 & 2 (ENGLISH)
PARMATMA PARSHVANATHA PART 1 & 2 (ENGLISH)
PARMATMA PARSHVANATHA PART 1 & 2 (ENGLISH)
PARMATMA PARSHV...
  • Jainism Books
₹ 100 ₹ 200
Buy Now
स्थूलभद्र स्वामी
स्थूलभद्र स्वामी
स्थूलभद्र स्वामी
स्थूलभद्र स्वामी
स्थूलभद्र स्वामी
स्थूलभद्र स्वाम...
  • Children Story Books
₹ 50 ₹ 99
Buy Now
GAJSUKUMAL
GAJSUKUMAL
GAJSUKUMAL
GAJSUKUMAL
GAJSUKUMAL
GAJSUKUMAL
  • Children Story Books
₹ 50 ₹ 99
Buy Now
ILACHIKUMAR
ILACHIKUMAR
ILACHIKUMAR
ILACHIKUMAR
ILACHIKUMAR
ILACHIKUMAR
  • Children Story Books
₹ 50 ₹ 99
Buy Now
KALIKAAL SARVAGNA
KALIKAAL SARVAGNA
KALIKAAL SARVAGNA
KALIKAAL SARVAGNA
KALIKAAL SARVAGNA
KALIKAAL SARVAG...
  • Children Story Books
₹ 50 ₹ 99
Buy Now
Vajraswami
  • children story books
₹ 50 ₹ 100
Buy Now
Anger Rectified
Anger Rectified
Anger Rectified
  • jainism books
₹ 50 ₹ 100
Buy Now
MAHAMUNI KURGADU
MAHAMUNI KURGADU
MAHAMUNI KURGADU
MAHAMUNI KURGADU
MAHAMUNI KURGADU
MAHAMUNI KURGAD...
  • Children Story Books
₹ 50 ₹ 99
Buy Now
MAMMAN SETH
MAMMAN SETH
MAMMAN SETH
MAMMAN SETH
MAMMAN SETH
MAMMAN SETH
  • Children Story Books
₹ 50 ₹ 99
Buy Now
NANDISHEN
NANDISHEN
NANDISHEN
NANDISHEN
NANDISHEN
NANDISHEN
  • Children Story Books
₹ 50 ₹ 99
Buy Now







Home

Magazine

Jainism

Q/A