Home > Know Jainism > 37. શ્રી કોકા પાર્શ્વનાથ
Jainonline.org
• 20-Jun-2025
37. શ્રી કોકા પાર્શ્વનાથ
14

પ્રથમ નજરે પ્રતિમા દર્શન
દ્રષ્ટિ પડતા જ દર્શકના હ્રદયમાં ભકિતનું સંગીત રેલાવે તેવા શ્રી કોકા પાર્શ્વનાથના શ્વેત વર્ણના પાષાણનાં નયન રમ્ય પ્રતિમાજી પાટણના કોકાના પાડામાં પદ્માસને બિરાજે છે. ઘુંમટબંધ ભવ્ય જિનાલયમાં સુંદર પરિકર વચ્ચે શોભતા ૩૫ ઈંચના દેહ પ્રમાણવાળા શ્રી કોકા પાર્શ્વનાથજીના મસ્તક પર બબ્બે ચક્ષુથી યુકત સાત મનોહર ફણાની અલંકૃતિ દર્શનાર્થીના હૈયામાં ચમત્કૃતિનું સર્જન કરી દે છે.
અતીતના ઊંડાણમાં એક ડૂબકી—
આ તીર્થના ઉદભવની પાછળ જૈનોના સ્વમાન પ્રેમ અને શાસન દાઝની ગરિમાનો ગૌરવવંતો ઈતિહાસ છે.
પાટણ નરેશ સિદ્ધરાજ જયસિંહ રાજહસ્તી પર સવાર થઈને રાયવાડીએ ફરવા નીકળ્યા હતા પ્રચંડ શુદ્ધિના સ્વામી શ્રીઅભયદેવસૂરિ મલિન વસ્ત્રો પરિધાન કરીને પાટણનગરમાં પધાર્યા. સાધુતાનો પ્રેમી સિદ્ધરાજ હસ્તી પરથી ઉતરીને સૂરિપુંગવના ચરણોમાં નમી પડયો ‘‘વસ્ત્ર માલિન્ય એ તો સાધુનું ભૂષણ છે.” એમ જાણનારા રાજવીએ સૂરીશ્વરને ‘મલઘારી’ના નામથી નવાજયા
આ ‘મલધારી' સૂરિરાજની પરંપરામાં થયેલા શ્રી હેમચંદ્રસૂરિ નામના મહાન આચાર્ય તેમના પટ્ટ-વિભૂષક બન્યા પાટણમાં ચાતુર્માસાર્થે પધારેલા આ. શ્રી હેમચંદ્રસૂરિ મહારાજા નિત્ય ગીમટામાં (ઘૂત વસતિમાં) જઈને ભવ્ય જીવોના જીવન ઉદ્યાનમાં જિનવાણીનું સિંચન કરતા. નિત્યક્રમ અનુસાર વ્યાખ્યાનાર્થે પધારેલા આચાર્યદેવને એકદા પૂજારીએ મના કરી, કારણ બલિ બાકળા દ્વારા પૂર્વજોનાં શ્રાદ્ધ પૂજન કરવાનો એ દિવસ હતો. શ્રાદ્ધ વિધિના માંડલા માટે જગ્યાને રોકી લીધી, પછી વ્યાખ્યાન કયાં બેસાડે? નિયમિત ચાલતા વ્યાખ્યાનમાં ભંગ ન પડે માટે. થોડા સમય માટે પણ જગા આપવા પૂજારીને સમજાવવાના બધા પ્રયત્નો નિષ્ફળ નીવડયા.
પરમાર્થવ્યસની આચાર્યદેવ ઉપદેશનું દાન કર્યા વગર જ પાછા ફરે તે સમસ્ત જૈન સંઘનું હડહડતું અપમાન હતું. એક પરદર્શનીની આ દ્વેષ જનિત શાસન હિલનાને પાટણના શાસન-ભકત શ્રેષ્ઠીઓ કેવી રીતે બરદાસ્ત કરે?
ગીમટાની બાજુમાં જ નૂતન જિનાલયનું નિર્માણ કરવા માટે યોગ્ય જગ્યાની શ્રી સંઘે શોધ ચલાવી. અને પૂજારીની શરમ અને ધમકીને અવગણીને કોકા નામના શેઠે શ્રી સંઘને જિનાલય માટે પોતાની જગ્યા આપી. પૂજારીના એ વર્ચસ્વ કાળમાં પણ આટલું સત્ત્વ દાખવનાર કોકા શેઠની જગ્યાનું ત્રણ ગણું મૂલ્ય ચૂકવીને શ્રી સંઘે કદર કરી. અને કોકા શેઠના નામને ચિરંજીવ બનાવવા જિનાલયની સાથે તેમનું નામ જોડવાનો નિર્ણય થયો. ધૃત વસતિની બાજુમાંજ ‘કોકા વસતિ’ નામનું મનોહર જિન ચૈત્ય બન્યું. શ્રી સંઘે ત્રેવીસમાં તીર્થપતિ શ્રી પાર્શ્વનાથ પ્રભુ નૂતન જિનાલયમાં પધરાવ્યા. નિત્ય ત્રિકાળ પૂજાતા પ્રભુજી “શ્રી કોકા પાર્શ્વનાથ” તરીકે પ્રસિદ્ધ થયાં.
કાળ પુરુષે તેનું કર્તવ્ય બજાવ્યું ઉન્નતિના શિખર પર આરૂઢ થયેલા પાટણ નગર પર આફતના ઓળા ઊતર્યા માળવાના રાજાએ હલ્લો કરીને રાજા ભીમદેવને હરાવ્યો અને પાટણ ભાંગ્યું. શત્રુઓના આક્રમણથી મૂર્તિ ખંડિત બની.
ભાંગી પડેલા જિનાલયનો જીર્ણોદ્વાર કરવા રામદેવ અને આશાધર નામના બે સોનાર શ્રાવકો કૃતનિશ્ચયી બન્યા આરાસણની ખાણમાંથી પથ્થર લાવી મનોહર બિંબ ઘડવાના બબ્બે પ્રયત્નો નિષ્ફળ જતાં રામદેવે અભિગ્રહ પૂર્વક આહારનો ત્યાગ કર્યો. ગુરુદેવે પણ તેવા જ કઠોર અભિગ્રહને ધારણ કર્યો. મંદિરના નિર્માણ જેવા શાસન સેવાનાં કાર્યો માટેના પૂર્વના એ પુરુષના સમર્પણ આગળ મસ્તક નમી જાય છે. સમર્પણનો આવો મહાયજ્ઞા મંડાય છે ત્યારે દૈવી તાકાતને પ્રત્યક્ષ થવું પડે છે. આઠમા ઉપવાસે શાસનદેવે આવીને રામદેવને કાર્યના સાફલ્ય માટે યોગ્ય આદેશ કરી દીધો. શાસન દેવે આપેલા સંકેત મુજબ પુષ્પ અને અક્ષતથી પૂજિત થયેલી દેરાસરની નજીકની ભૂમિ ખોદીને ચમકતા આરસના ત્રણ ટુકડા પ્રાપ્ત કર્યા અને તેમાંથી નયન મનોહર જિનબિંબોનું સર્જન કરાવ્યું. અને જીર્ણોદ્ધૃત જિનાલયમાં સંવત ૧૨૬૨ (મતાંતરે ૧૨૬૬)માં આચાર્યદેવ શ્રીદેવાનંદસૂરિજીના વરદ હસ્તે પરમાત્માને જિનાલયમાં પ્રતિષ્ઠિત કર્યા શ્રી કોકા પાર્શ્વનાથના નામથી જ નૂતન પ્રભુ પ્રસિદ્ધિ પામ્યા ભકત જનોના મનોવાંછિતને પૂરતા શ્રી પાર્શ્વપ્રભુને સૈકાઓથી ભકતજનો શ્રદ્ધા પૂર્વક પૂજે છે.
પ્રાચીનતાના પુરાવા—
કેટલાક પ્રાચીન ગ્રન્થો અને અનેક પ્રાચીન તીર્થમાલાઓ અને સ્તવનોમાં મળતા ઉલ્લેખો શ્રી કોકા પાર્શ્વનાથ તીર્થની પ્રાચીનતાનો પુરાવો આપે છે. સુલતાન મહમ્મદ પ્રતિબોધક ખરતરગચ્છના મહાન આચાર્ય શ્રી જિનપ્રભસૂરિએ ૧૪મી સદીમાં રચેલા ‘વિવિધ તીર્થ કલ્પ'' નામના ગ્રંથની અંતર્ગત 'શ્રી કોકાવસતિ કલ્પ" ઉપર્યુકત ઈતિહાસની સાક્ષી પૂરે છે.
શ્રી લલિતપ્રભસૂરિ નામના આચાર્ય ભગવંતે સંવત ૧૬૪૮માં રચેલી “પાટણ ચૈત્ય પરિપાટી'માં પોતે શ્રી કોકા પાર્શ્વનાથની યાત્રા કર્યાનું જણાવ્યું છે.
સંવત ૧૬૫૫માં આસો સુદ ૧૦ના દિને શ્રી સ્તંભન પાર્શ્વનાથની છત્રછાયામાં રહીને કવિવર શ્રી પ્રેમવિજય વર્ણાનુપ્રાસ અલંકારની મોહક રચના વાળી “ત્રણસો પાંસઠ શ્રી પાર્શ્વજિન નામમાલા'માં શ્રી કોકા પાર્શ્વનાથનું નામ પણ ગૂંધ્યું છે.
સંવત ૧૬૫૬માં આસો વદ ૯ને મંગળવારે કવિ શ્રી નયસુંદરે રચેલા શ્રી “શંખેશ્વર પાર્શ્વનાથજીના છંદ'માં પ્રગટપ્રભાવી શ્રી પાર્શ્વપ્રભુજીનાં વિવિધ નામોમાં શ્રી કોકા પાર્શ્વનાથને પણ ગણાવ્યા છે.
સંવત ૧૬૬૭માં પંન્યાસ શ્રી શાંતિકુશલ રચિત ‘શ્રી ગોડી પાર્શ્વનાથ સ્તવન"માં નિર્દિષ્ટ ૧૦૮ નામોમાં શ્રી કોકા પાર્શ્વનાથનો પણ ઉલ્લેખ છે.
સદ્ ગુરુ શ્રી ગુણવિજયના શિષ્યે સંવત ૧૬૮૯ના પોષ વદ ૧૦ના દિને રચેલા “૧૦૮ નામ ગર્ભિત શ્રી પાર્શ્વનાથ સ્તવન"માં શ્રી કોકા પાર્શ્વનાથને પણ આલેખ્યા છે.
૧૭મી સદીમાં કવિ શ્રી રત્ન કુશલે “પાર્શ્વનાથ સંખ્યા સ્તવન”માં શ્રી કોકા પાર્શ્વનાથના નામનો નિર્દેશ કર્યો છે.
સંવત ૧૭૨૧માં ઉપાધ્યાય મેઘવિજયે દીવ બંદરમાં ગૂંથેલી "શ્રી પાર્શ્વ નામમાલા"માં શ્રી કોકા પાર્શ્વનાથનું નામ ગૂંથ્થું છે.
સંવત ૧૭૨૯માં પંડિત હર્ષવિજય કૃત “પાટણ ચૈત્ય પરિપાટી”માં તેમણે પણ કોકાના પાડે શ્રી કોકા પાર્શ્વનાથને આરાધ્યા છે.
સંવત ૧૭૪૬માં મુનિરાજ શ્રી શીલવિજયજીએ રચેલા એક વિસ્તૃત 'તીર્થમાલા" સ્તવનમાં પોતે શ્રીકોકાપાર્શ્વનાથની યાત્રા કર્યાની નોંધ છે.
૧૮મી સદીમાં કવિ સુખસાગર રચિત વૃદ્ધિવિજયગણિ રાસના પ્રારંભે મંગલને કાજે શ્રી કોકા પાર્શ્વનાથની પણ સ્તવના કરવામાં આવી છે.
સંવત ૧૮૮૧ના ફાગણ વદ-૨ના દિવસે કવિવર શ્રી ઉત્તમ વિજયે રચેલા “શ્રી પાર્શ્વનાથ પ્રભુનાં ૧૦૮ નામના છંદ'માં શ્રી કોકા પાર્શ્વનાથનો પણ સમાવેશ કર્યો છે. સંવત ૧૯૫૯માં શ્રાઢરત્ન પંડિત હીરાલાલે “પત્તન જિનાલય સ્તુતિ’” નામના સ્તોત્રમાં કોકાના પાડે બિરાજતા શ્રી કોકા પાર્શ્વનાથ પ્રભુની પણ સ્તવના કરી છે.
આમ ૧૪મી સદીમાં શ્રી જિનપ્રભ સૂરિએ રચેલા “કલ્પ’’ પછી ૧૬મી સદીના પ્રારંભથી માંડીને રચાયેલી અનેક તીર્થમાલા અને ચૈત્ય પરિપાટી સ્તવનોમાં આ તીર્થનાં મળતા અઢળક ઉલ્લેખો તીર્થની અવિત પ્રસિદ્ધિ અને પ્રભાવકતા પર પ્રકારા પાડે
પ્રભુનાં ધામ અનેક—
પાટણ કોકાના પાડામાં પ્રભુજીનું મુખ્ય તીર્થ છે. તે ઉપરાંત શાંતાક્રુઝ (મુંબઈ) શ્રી કલિકુંડ પાર્શ્વનાથ જિનાલયની ભમતીના એક ગોખલામાં પણ મી કોકા પાર્શ્વનાથ બિરાજે છે.
પ્રભુનાં ઘામની પિછાણ—
હાલ પાટણના નામથી જ ઓળખાતું પુરાતન નગર "અણહિલ્લપુર પાટણ” આજે પણ ભવ્ય જિનાલયો પોષધશાળાઓ, પ્રાચીન જ્ઞાનભંડારો અને ધર્મચુસ્ત શ્રાવક શ્રાવિકાઓથી શોભી રહયું છે. અનેક ભવ્ય અને મનોહર તીર્થંતુલ્ય તારક જિનાલયો અને જિનબિંબોથી વિભૂષિત આ નગર જૈનોનું યાત્રાનું પવિત્ર ધામ છે. પ્રાચીન કાળથી આ નગરમાં સાધુ સાધ્વી ભગવંતોના આવાગમન સતત ચાલુ છે. શ્રી પંચાસરા પાર્શ્વનાથનું પ્રસિદ્ધ તીર્થ અહીં આવેલું છે.
પાટણના કોકાના પાડામાં બે જિનાલય છે. એકમાં શ્રી અભિનંદન સ્વામી તથા બીજામાં શ્રી કોકા પાર્શ્વનાથ મૂળનાથક બિરાજે છે.
પાટણ શહેર રેલવે તેમજ રોડ રસ્તે ગુજરાતના અનેક શહેરો સાથે જોડાયેલું છે. પાટણ મહેસાણાથી ૩૦ કી.મી. અને સિદ્ધપુસ્થી ૧૯ કી.મી. દૂર છે. પાટણની નિકટમાં ચારૂપ મેત્રાણા, કંબોઈ, આદિ તીર્થો આવેલાં છે.