logo
  • Customer Help
  • Checkout
logo
Subscription
  • Home
  • Store
    • Children Story Books
      • English Books
      • Hindi Books
      • Gujarati Books
    • Tirthankar Charitra books
    • Pathshala Books
      • English Books
      • Gujarati Books
    • Jainism Books
      • English Books
      • Gujarati Books
    • Games
      • Housie Game
      • Puzzle
  • Magazine
  • Gurudev
    • Pujya Premsuri MS
    • Pujya Bhuvanbhanu Suri MS
    • Pujya Gachchhadhipati Gurudev Shri Jayghosh Suri Ms
  • Pearls of Jainism
    • Samadhan Yatra
    • One Liner
  • Know Jainism
  • Library
    • Books
    • Bhuvanbhanu Encyclopedia
  • Media
    • Audio
    • Video
  • Contact Us

પૂજા પરફેક્ટ - જિનપૂજા, તીન કા કમાલ, દેરાસરમાં ધ્યાન રાખવા યોગ્ય

Home > Magazine > Gujarati Magazine > > પૂજા પરફેક્ટ

ટ્રિપલ ત્રિક
બાળકો! ત્રણના જોડકાંને અંગ્રેજીમાં ટ્રિપલ કહેવાય છે. ટ્રિપલને જ સંસ્કૃત ભાષામાં ‘ત્રિક’ કહેવાય છે.
આપણે જ્યારે પરમાત્માની પૂજા કરવા જઈએ, ત્યારે આવા 10 ‘ત્રિક’નું પાલન કરવાનું હોય છે. કેટલીક ‘ત્રિક’ તો તમે કરો જ છો, પણ તમને ખબર નથી હોતી. દા.ત., 3 પ્રદક્ષિણા...
આજે કુલ 3 ‘ત્રિક’ સમજીએ.
1. પ્રણામ ત્રિક
બે હાથ જોડવા, મસ્તક નમાવવું, ખમાસમણું આપવું; આ બધું ‘પ્રણામ’ - નમસ્કાર ગણાય.
જિનાલયમાં પૂજા કરવા જઈએ ત્યારે અલગ-અલગ સમયે 3 પ્રકારના પ્રણામ = પરમાત્માને નમસ્કાર કરવાના હોય છે.
i) અંજલિબદ્ધ પ્રણામ : દેરાસરમાં જઈએ અને સામે જ જેવા પરમાત્મા દેખાય, ત્યારે બે હાથ જોડી, મસ્તક નમાવી ‘નમો જિણાણં’ બોલવું. (ફોટો)
ii) અર્ધાવનત પ્રણામ : જિનાલયના ગભારા પાસે જઈ કમરથી ઝૂકીને ‘નમો જિણાણં’ બોલવું. પછી પૂજા કરવા ગભારામાં જવું. (ફોટો)
iii) પંચાંગ પ્રણિપાત પ્રણામ : પૂજા કર્યા બાદ, ચૈત્યવંદન કરવા માટે ખમાસમણ આપીએ તે ખમાસમણ એટલે જ પંચાંગ પ્રણિપાત. (ફોટો)
Did you know?
પંચાંગ = પાંચ અંગ, પ્રણિપાત = નમન.
જે નમસ્કારમાં શરીરના પાંચ અંગ જમીનને સ્પર્શે તે પંચાંગ પ્રણિપાત.
ખમાસમણમાં જમીનને અડે તે શરીરના પાંચ અંગ : બે પગ, બે હાથ અને મસ્તક. (ખમાસમણનો ફોટો)

2. નિસીહી ત્રિક
નિસીહી = નિષેધ, અટકવું, ન કરવું.
આપણે જ્યારે જિનાલયમાં પરમાત્માની પૂજા કરવા જઈએ ત્યારે 3 જગ્યાએ નિસીહી બોલી અલગ-અલગ 3 વાતોનો નિષેધ કરવાનો છે.
i) પહેલી નિસીહી : દેરાસરના મુખ્ય દરવાજામાં પ્રવેશ કરતી વખતે ‘નિસીહી’ બોલવાનું છે. હવે જિનાલયમાં ઘર-પરિવાર-સંસારને લગતી દરેક વાતો અને વિચારોનો નિષેધ = કરવાના નથી.
ii) બીજી નિસીહી : પરમાત્માના ગભારામાં પ્રવેશ કરતી વખતે બીજી વાર ‘નિસીહી’ બોલવાનું છે. હવે પ્રભુની પૂજા જ કરવાની છે. દેરાસરને લગતી પણ કોઈ વાતો-વિચારો કરવાના નથી.
iii) ત્રીજી નિસીહી : પરમાત્માની પૂજા થઈ ગયા પછી ચૈત્યવંદન કરીએ તે વખતે ત્રીજી અને છેલ્લી ‘નિસીહી’ બોલવાની છે. હવે આપણું સંપૂર્ણ ધ્યાન પરમાત્માના ચૈત્યવંદન-સ્તવન-સ્તુતિમાં જ રાખવાનું છે. પૂજાની સામગ્રીઓ જેમ કે, કેસર-ફૂલ-સાથિયો-ધૂપ-દીપક વિગેરે હલે-બગડે-ઓલવાઈ જાય તોપણ તેની ફિકર કરવાની નથી.
3. પ્રદક્ષિણા ત્રિક
પરમાત્માની પૂજા કરતાં પહેલાં પરમાત્માને 3 પ્રદક્ષિણા આપવાની છે.
3 પ્રદક્ષિણા, 3 લાભ
1. ‘તે ભવભ્રમણ નિવારવા પ્રદક્ષિણા દઉં ત્રણ વાર.’
સંસારમાં તો ઘણું ભમ્યા-ભટક્યા-ફર્યા. પરમાત્માને પ્રદક્ષિણા આપવાથી સંસારમાં ભટકવાનું બંધ થાય છે.
2. ‘દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ પ્રદક્ષિણા ત્રણ દેવાય.’
પરમાત્માને 3 પ્રદક્ષિણા આપવાથી દર્શન = ધર્મ પ્રત્યેની શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્રની પ્રાપ્તિ થાય છે.
3. ‘રિસર્ચ ઓફ સાયન્સ’
જ્યારે પ્રદક્ષિણા આપીએ છીએ ત્યારે પરમાત્મા આપણી જમણી તરફ જ હોય છે. આજનું વિજ્ઞાન જણાવે છે કે આપણા શરીરના જમણા ભાગને પરમાત્મા તરફ રાખી પ્રદક્ષિણા આપવાથી આપણા શરીરમાં પોઝિટિવ એનર્જી ઉત્પન્ન થાય છે. જે આપણા શરીર અને મન - બંનેને તંદુરસ્ત બનાવે છે.
So, Guys
હવે પ્રદક્ષિણા આપતી વખતે યાદ રાખશો : પરમાત્માને પ્રદક્ષિણા આપવાથી આપણા આત્મા, શરીર અને મન - ત્રણેયને ફાયદો થાય છે.


વધુ વાંચવા અને જાણવા માટે તથા આવી જ બીજી પણ રોચક વાતો માટે ખાસ આજે જ સબ્સ્ક્રાઈબ કરો સિદ્ધાંત દિવાકર મેગેઝીન...

Additional Info

Number of pages : 20

Weight : 150gms


Subscribe
All Magaine

Magazine

  • સૂત્ર સિક્રેટ - નમસ્કાર મહામંત્રનો પ્રભાવ
  • વન્સ એપોન અ ટાઇમ - ગુરુ ગૌતમસ્વામીનો પ્રભુ મહાવીર સ્વામી સાથે પ્રથમ મિલાપ
  • વન્સ એપોન અ ટાઇમ - ગુરુ ગૌતમ સ્વામી
  • પૂજા પરફેક્ટ - જિનપૂજા, તીન કા કમાલ, દેરાસરમાં ધ્યાન રાખવા યોગ્ય
  • વન્સ એપોન અ ટાઇમ - સુધર્માસ્વામી અને લાકડા કાપનારની વાર્તા
  • ભાવે દીજે દાન - દાનના વિવિધ પ્રકારો
  • તારે તે તીર્થ - શત્રુંજય, ચીલ્ડ્રન એકટીવીટી ગેમ
  • પૂજા પરફેક્ટ - ડ્રેસ કોડ : જિનપૂજાના વસ્ત્રો, ધ યુનિવર્સલ રૂલ
  • વન્સ એપોન અ ટાઇમ - મારા ગુરુ ગૌતમ ગુરુ, પરમાત્મા મહાવીરના પ્રથમ ગણધર,
  • પૂજા પરફેક્ટ - તીન કા કમાલ,
  • સૂત્ર સિક્રેટ - અરિહંતનું ઐશ્વર્ય
  • વન્સ અપોન અ ટાઈમ - અષ્ટાપદ તીર્થ, ગૌતમસ્વામીજી અને તાપસો
  • Jainism Science - સાધુ સાધ્વીજી ભગવંતોને વંદન કેટલા પ્રકારે થાય?
  • સૂત્ર સિક્રેટ - નમો સિદ્ધાણં
  • Jainism - Today's science, પાંચજ્ઞાન માનું એક જ્ઞાન મનઃપર્યવજ્ઞાન અને N 1 ચિપ
  • પૂજા પરફેક્ટ - જિનપૂજા , પ્રક્ષાલ પૂજા કરવામાં પહેલા કેમ દૂધ જ વપરાય? બીજું કોઈ liquid ન વપરાય? જાણો આનું કારણ..
  • સ્ટોરી કૃષ્ણ મહારાજા અને જરાસંઘ - આપણા સૌના પ્યારા શંખેશ્વર પાર્શ્વનાથ દાદા ક્યાંથી આવ્યા? કોણ લાવ્યું? ક્યારે લાવ્યા? સ્ટોરી જાણવી છે??
  • Jainism science - તમારે તમારી બોડી અને નેક્સ્ટ ભવને ખરાબ થતા અટકાવવા છે? તો તો આ વાંચવું જ પડે...
  • સૂત્ર સિક્રેટ - 12 ગુણ, અરિહંત પરમાત્માની 12 વિશિષ્ટ ખૂબીઓ કઈ કઈ છે?
  • જય જય શ્રી આદિનાથ - જાણો આ અવસર્પિણીનાં પ્રથમ તીર્થંકર શત્રુંજય તીર્થાધિપતિ શ્રી આદિનાથદાદા એટલે કે ઋષભદેવ પરમાત્મા વિષે
  • પૂજા પરફેક્ટ - જિનપૂજા , ભગવાનને કેસર પૂજા કયા કયા અંગો ઉપર કરવાની ? અને એને નવાંગી પૂજા જ કેમ કહેવાય?
  • સ્ટોરી - મેં કોઈનું ક્યાં કાંઈ બગાડ્યું હતું? તો મારી સાથે જ કેમ આવું થયું? આનો જવાબ જાણવો છે? તો તો તમારા માટે જ મહાવીર સ્વામી ભગવાનની આ સ્ટોરી છે...
  • પચ્ચક્ખાણ નાનું પણ ફળ ખુબ મોટું - જાણો કેટલા મોટા દુઃખોને દૂર કરવાની તાકાત પચ્ચક્ખાણમાં છે.
  • ફિલ ધ કલર, ફિલ ધ મહાવીર - ચિત્રમાં રંગ પૂરો, બાળકોની એક્ટિવિટી
  • બીજા શ્રી અજિતનાથ - જાણો બીજા તીર્થંકરની સ્ટોરી
  • સૂત્ર સિક્રેટ - બ્રહ્મચર્ય, જાણો ખરાબ વિચારોથી મનને કેવી કેવી રીતે બચાવી શકાય.
  • બાળકોની મજેદાર એક્ટિવિટી - learn with fun
  • ગેમ - ત્રણ લોકના નાથ તીર્થંકર પરમાત્મા પૃથ્વી પર આવી રહ્યા છે એવો ખ્યાલ કેવી રીતે આવે? ત્રિશલા માતાને આવેલા 14 સ્વપ્નો બતાવો..
  • સ્ટોરી પૂજ્ય યશોભદ્ર સ્વામી - એક બ્રાહ્મણ પંડિત જ્યારે પ્રભુ વીરની પાટ પરંપરામાં પાંચમા પટ્ટધર બન્યા.જૈનશાસનની આવી જ રોચક કથાઓ જાણવી છે તો આજે જ સબ્સ્ક્રાઇબ કરો સિદ્ધાંત દિવાકર મેગેઝીન.
  • કર્મને જાણો - હું આટલો બધો પાતળો અને મારો મિત્ર તો બોડી બિલ્ડર છે. મારો અવાજ કેટલો ખરાબ છે અને મારા મિત્ર નો અવાજ તો કેટલો સરસ છે. આવું મારી સાથે જ કેમ થયું? શું તમારે આનો જવાબ જાણવો છે તો અહી ક્લિક કરો..
  • વન્સ અપોન અ ટાઈમ - પ્રભુવીરના 6ઠ્ઠા પટ્ટધર સંભૂતિ સૂરિવર
  • પૂજા પરફેક્ટ - ધૂપ દીપક પૂજા અગ્રપૂજા, અષ્ટપ્રકારી પૂજા
  • જૈનિઝમ સાયન્સ - જાણો મોબાઇલની આડઅસરો
  • વન્સ અપોન અ ટાઈમ - વાર્તા, કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય સુરીશ્વરજી મહારાજા
  • સૂત્ર રહસ્ય - પાંચ પરમેષ્ઠીમાંથી કયા પરમેષ્ઠીને નમસ્કાર કરવાથી લાભ વધારે મળે?
  • જૈનીઝમ સાયન્સ - સાધુ-સાધ્વીજી ભગવંતો હંમેશા પગપાળા ચાલીને જ કેમ વિહાર કરે છે? જાણવું છે?
  • પૂજા પરફેક્ટ - જિનપૂજા, ભાવપૂજા, દેરાસરમાં ચૈત્યવંદન કરતા શું કરવું અને શું ન કરવું?
  • સૂત્ર સિક્રેટ - નમસ્કાર મહામંત્ર , દુનિયાનો સૌથી પ્રભાવશાળી અને ચમત્કારિક મંત્ર કેમ?
  • ત્રીજા શ્રી સંભવનાથ - જાણો ત્રીજા તીર્થંકરની સ્ટોરી
  • સૂત્ર સિક્રેટ, પંચિંદિય સૂત્ર - જેનાથી સતત સંસાર વધે છે તેવા ચાર કષાયો ક્રોધ, માન, માયા લોભથી મુક્ત છે તે મારા ગુરુ છે.
  • વંદન વાર્તા - બાલમુનિને કર્મોદયથી ખોટો વિચાર આવવો અને તરત જ અદ્ભૂત પશ્ચાતાપ
  • ચોથા શ્રી અભિનંદનસ્વામી - મનમાં સતત રમતી ભાવના કે સવિ જીવ કરું શાસનરસી
  • સૂત્ર સિક્રેટ - જાણે જેની સરખામણી સાપ સાથે કરવામાં આવી છે એ માયા કષાય વિશે.... એટલે કે છળ કપટ, cheating
  • બાળકોની મજેદાર એક્ટિવિટી - ખોટા શબ્દને ઓળખીને સાચો શબ્દ લખો







Home

Magazine

Jainism

Q/A