Home > Know Jainism > પેથડશાહે પાપ પશ્ચાત્તાપમાં શું શું જોયું?
Acharya shree Bhuvanbhanu suriji Maharaj Saheb
• 12-Jul-2026
પેથડશાહે પાપ પશ્ચાત્તાપમાં શું શું જોયું?
7
(૧) પુણ્ય હશે તો ધન તો બીજા સદ્ ઉપાયે પણ મળી રહેશે.
(૨) આવા અનિચ્છનીય ઉપાયમાં તો ધનના લોભની હદ નહિ રહે, તેથી મનની ભૂખ વધતી જશે.
(૩) અતિ લોભ એ સર્વ ગુણનો નાશ કરશે.
(૪) લોભથી બીજા સેંકડો પાપકૃત્ય ઊભાં થશે.
(૫) અઢળક વનસ્પતિ સંહારમાં એ જીવો પ્રત્યે નિર્દયતા પોષી.
(૬) એવી નિર્દયતામાં શ્રાવકપણાનું દયાળુ દિલ નષ્ટ કર્યું.
(૭) એના ધનલાભમાં જ્યારે જ્યારે રાજીપો તથા સાહ્યબીની રક્ષા અને ભોગવટો, ત્યારે ત્યારે એ જીવસંહારની અનુમોદનાએ નવાં નવાં પાપકર્મોનો બંધ. અને નિર્દયતાના કુસંસ્કારની વૃદ્ધિ.
(૮) એવા અસદ્ ઉપાયે પૈસા મળે ત્યાં પાપાનુબંધી પુણ્યનો-ભોગવટો. એથી નકરું પુણ્ય વેચી નકરાં પાપની ખરીદી.
આવા કેટલાય અનર્થ પેથડશાહે જોયા. એ સઘળા અનર્થોનું મૂળ 'લોભ.' એવા લોભસહિત અનર્થોને હટાવવા પેથડશાહે એક જ ઉપાય જોયો અને તે પ્રતિજ્ઞા કે, ‘આવો સુવર્ણરસ ન ખપે.'

