Home > Know Jainism > પચ્ચક્ખાણમાં સહસાગારેણં નો અર્થ શું થાય ?
પચ્ચક્ખાણમાં સહસાગારેણં નો અર્થ શું થાય ? :
સહસાગારેણં એટલે શું? સહસાગારેણં = સહસાત્કાર = એકદમ જ. એવી પરિસ્થિતિ કે જેમાંથી હવે પાછા ફરી શકાય તેમ નથી. દા.ત., પચ્ચક્ખાણ આવે તે પહેલાં જ, મોંમાં કોળિયો મૂકી દીધો ને અડધો ગળી પણ લીધો. હવે ખ્યાલ આવ્યો કે પચ્ચક્ખાણ આવ્યું નથી. ને પેલો ગળામાં ઊતરી રહેલો કોળિય...
Jainonline.org
• 5-Apr-2025
પચ્ચક્ખાણમાં સહસાગારેણં નો અર્થ શું થાય ?
1419
સહસાગારેણં એટલે શું?
સહસાગારેણં = સહસાત્કાર = એકદમ જ.
એવી પરિસ્થિતિ કે જેમાંથી હવે પાછા ફરી શકાય તેમ નથી.
દા.ત., પચ્ચક્ખાણ આવે તે પહેલાં જ, મોંમાં કોળિયો મૂકી દીધો ને અડધો ગળી પણ લીધો. હવે ખ્યાલ આવ્યો કે પચ્ચક્ખાણ આવ્યું નથી. ને પેલો ગળામાં ઊતરી રહેલો કોળિયો પાછો બહાર કાઢી શકાય તેમ નથી, એટલે તે કોળિયો જે ગળવો પડે તે સહસાત્કાર.
(જ્યાં સુધી `પચ્ચક્ખાણ આવ્યું નથી’ તેવો ખ્યાલ ન’તો ત્યાં સુધી અનાભોગ અને ખ્યાલ આવ્યા પછી, ગળે પહોંચેલા કોળિયાને પાછો કાઢી ન શકાય તે સહસાત્કાર.)

